ચૂંટણી ઢંઢેરો: કોંગ્રેસ સત્તા પર આવશે તો 11 મહિનામાં આપશે 22 લાખ નોકરી

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) જીતવા કોંગ્રેસ (Congress) પાર્ટી (Party) દ્વારા મંગળવારે ચૂંટણી ઢંઢેરો (Election Manifesto) જાહેર કરાયો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi), સોનિયા ગાંધી (Sonia Gandhi), ડો. મનમોહનસિંહ (manmohan singh), પી ચિદંબરમ (p chidambaram) સહિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ મેનીફેસ્ટો જાહેર કરાયો. હમ નિભાયેંગે થીમ પર ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. જાણો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના શું છે ખાસ...

ચૂંટણી ઢંઢેરો: કોંગ્રેસ સત્તા પર આવશે તો 11 મહિનામાં આપશે 22 લાખ નોકરી

નવી દિલ્હી: કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનું ઘોષણા પત્ર બહાર પાડી દીધુ. કોંગ્રેસે 'હમ નિભાયેંગે'ના વચન સાથે ન્યૂનતમ આવક યોજના, રોજગારના સર્જન, ખેડૂતો માટે અલગ બજેટ સહિત પાંચ મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે જો પાર્ટી સત્તામાં આવશે તો 20 ટકા ગરીબોને ન્યૂનતમ આવક યોજના હેઠળ વાર્ષિક 72000 આપવામાં આવશે. મહિને 6000 મળશે. પાર્ટીએ ઘોષણા પત્રને જન આવાઝ નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અમારા ચૂંટણી ચિન્હ હાથની થીમને ધ્યાનમાં રાખીને 5 મોટા વચન સામેલ કર્યા છે. આવો જાણીએ કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં કયા કયા પાંચ સૌથી મોટા વચનો આપ્યાં છે....

ચૂંટણી ઢંઢેરાની મહત્વની વાતો...

1. દર વર્ષે ગરીબ વર્ગના 20 ટકા લોકોના ખાતામાં 72,000 રૂપિયા નાખવામાં આવશે. કોંગ્રેસે આ સ્કીમ માટે 'ગરીબી પર વાર, દર વર્ષે 72,000'નો નારો આપ્યો છે. કોંગ્રેસનો લક્ષ્યાંક હશે કોઈ પણ ભારતીય પરિવાર પાછળ ન રહી જાય. 

2. 22 લાખ સરકારી નોકરીઓનું વચન પણ કોંગ્રેસે આપ્યું છે. 22 લાખ આ સરકારી રોજગાર માર્ચ 2020 સુધીમાં ભરવાનું વચન આપ્યું છે. 10 લાખ લોકોને ગ્રામ પંચાયતોમાં રોજગારી આપવાનું વચન આપ્યું છે.  3 વર્ષ સુધી યુવાઓએ કારોબાર માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની જરૂર પડશે નહીં. 

3. મનરેગામાં કામના દિવસોને 100થી વધારીને 150 કરવાની જાહેરાત કરી છે. 

4. ખેડૂતો માટે અલગ બજેટ બહાર પાડવાની જાહેરાત કરી છે. જે ખેડૂતો કરજ ન ચૂકવી શકે તેમના પર અપરાધિક ગુનો નહીં પરંતુ સિવિલ ગુનો દાખલ થાય. ફક્ત કરજમાફી કરીને જવાબદારીમાંથી છૂટીશું નહીં પરંતુ ઉચિત મૂલ્ય, કૃષિમાં ઓછો ખર્ચ, બેંકો પાસેથી લોનની સુવિધાન દ્વારા અમે ખેડૂતોને 'કર્જ મુક્તિ' એટલે કે Freedom From Indebtedness તરફ લઈ જવાનું વચન આપીએ છીએ. 

5. 2023-24 સુધી સમાપ્ત થતા 5 વર્ષમાં શિક્ષા માટે બજેટ ફાળવણી બમણી કરીને જીડીપીનો 6 ટકા ભાગ શિક્ષા પર ખર્ચ કરવામાં આવશે. યુનિવર્સિટીઝ, આઈઆઈટી, આઈઆઈએમ સહિત ટોપ સંસ્થાનો સુધી ગરીબોની પહોંચ સરળ કરવાનું વચન અપાયું છે.

6. ગરીબોને સૌથી સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. વર્ષ 2023-24 સુધીમાં સ્વાસ્ત્ય સુવિધાઓ પર કુલ સરકારી ખર્ચને બમણુ વધારીને જીડીપીના 3 ટકા કરાશે. કોંગ્રેસે તમામ માટે સ્વાસ્થ્ય અધિકાર કાયદો લાગુ કરવા માટે વચન આપ્યું છે. દરેક નાગરિકને સ્વાસ્થ્ય સેવાઓ, જેમાં મફત ડાયગ્નોસિસ, બહિરંગ (ઓપીડી), રોગી દેખભાળ, દવાઓ, અને સાર્વજનિક હોસ્પિટલો તથા સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલોના વ્યાપક નેટવર્ક દ્વારા ભરતી સુવિધાઓના અધિકારની ગેરંટી મળશે. 

7. ગબ્બર સિંહ ટેક્સને અમે જીએસટીમાં ફેરવીશું. અમે સિમ્પલ ટેક્સ આપીશું. ઓછામાં ઓછો ટેક્સ લાગશે. સરળ સિમ્પલ ટેક્સ થશે. 

8. જમ્મુ અને કાશ્મીર અંગે  કોંગ્રેસે જણાવ્યું છે કે રાજ્યના ત્રણ ક્ષેત્રોના લોકોની આકાંક્ષાઓને સમજવા માટે તેમના મુદ્દાઓનું સન્માનજનક સમાધાન શોધવા માટે વાતચીત જ એકમાત્ર રસ્તો છે. અમે આ રસ્તાને અપનાવીશું. સરહદ પર પૂરી દ્રઢતાથી ઘૂસણખોરોને દૂર કરીશું અને લોકોની માગણીઓને પૂરી કરીને તથા તેમના મન જીતવા માટે પૂર્ણ નિષ્પક્ષતાથી દરેક સંભવ ઉપાય શક્ય બનાવીશું. 

ઘોષણા પત્ર બહાર પાડતા અગાઉ ઘોષણા પત્ર કમિટીના સભ્ય રાજીવ ગૌડાએ જણાવ્યું કે કોંગ્રેસ  અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છતા હતાં કે આ વખતે ઘોષણા પત્રમાં કઈંક અલગ હોય. જે ફક્ત પાર્ટીના ઈતિહાસ નહીં પરંતુ દેશમાં પણ અલગ હોય.તેમણે જણાવ્યું કે કઈ રીતે આ મેનિફેસ્ટો તૈયાર થયો. એનઆરઆઈ નાગરિકો સાથે વાતચીત થઈ. દરેક ક્ષેત્રના એક્સપર્ટ સાથે વાત થઈ. દલિત, અલ્પસંખ્યક, ડોક્ટર, શિક્ષક, વ્યાપારીઓના પ્રતિનિધિઓ સાથે વાત થઈ. ઓનલાઈન પણ લોકોના મત લેવામાં આવ્યાં. ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ પર લોકોએ પોતાના સૂચનો મોકલ્યાં. એક લાખથી વધુ લોકોએ વિસ્તારથી પોતાની વાત રજુ કરી. 20થી વધુ રાજ્યોમાં જનતા સાથે સીધો સંવાદ થયો. 

તેમણે જણાવ્યું કે કઈ રીતે આ મેનિફેસ્ટો તૈયાર થયો. એનઆરઆઈ નાગરિકો સાથે વાતચીત થઈ. દરેક ક્ષેત્રના એક્સપર્ટ સાથે વાત થઈ. દલિત, અલ્પસંખ્યક, ડોક્ટર, શિક્ષક, વ્યાપારીઓના પ્રતિનિધિઓ સાથે વાત થઈ. ઓનલાઈન પણ લોકોના મત લેવામાં આવ્યાં. ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ પર લોકોએ પોતાના સૂચનો મોકલ્યાં. એક લાખથી વધુ લોકોએ વિસ્તારથી પોતાની વાત રજુ કરી. 20થી વધુ રાજ્યોમાં જનતા સાથે સીધો સંવાદ થયો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયો તે અગાઉ ઘોષણા પત્ર કમિટીના સભ્ય ભાલચંદ્ર મુંગેકરે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે તો રાફેલ મામલે તપાસ માટે કમિટીની રચના  કરાશે. ભાલચંદ્ર મુંગેકરે કહ્યું હતું કે સત્તામાં આવતાની સાથે જ પહેલા જ દિવસે અમે રાફેલ મામલે તપાસનું પગલું ભરીશું અને અમે તેને ઘોષણા પત્રમાં પણ સામેલ કરીશું. 

આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે સાથે યુપીએ ચેર પર્સન સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ, એ કે એન્ટોની જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. પ્રિયંકા ગાંધી વાડ્રા કાર્યકરો સાથે બેઠા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news